કરજ ઉતારવા માટે
જો તમારા ઉપર કરજનો બોજ વધારે છે અને અનેક પ્રયત્ન કર્યા છતાં પણ કરજ ચૂકવી શકાતું નથી તો બુધવારના દિવસે આ ઉપાય કરવો. સવા મુઠ્ઠી આખા મગ લઈ તેમાં ખાંડ અને ઘી મિક્સ કરી ગાયને ખવડાવવા. આ ઉપાય સતત સાત બુધવાર સુધી કરવાથી કરજથી મુક્તિ મળે છે.
આર્થિક સ્થિતિ સુધારવા
જો પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય અને પૈસાની તંગી સતત રહેતી હોય તો બુધવારના દિવસે ભગવાન ગણેશને 21 અથવા તો 42 જાવંત્રી અર્પણ કરવી. તેનાથી જાતકની આર્થિક તંગી દૂર થાય છે અને ધનની આવક વધે છે.
અભ્યાસમાં સફળતા માટે
જો તમારા બાળકો અભ્યાસમાં નબળા હોય અને ધારી સફળતા પ્રાપ્ત કરી શકતા ન હોય તો બુધવારના દિવસે નિયમિત રીતે ભગવાન ગણેશના મંત્ર ઓમ ગં ગણપતે નમઃ મંત્રનો જાપ કરવો. આમંત્રણનો જાપ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને શિક્ષણમાં સફળતા મળે છે.
કુંડળીનો બુધ દોષ દૂર કરવાનો ઉપાય
ભગવાન ગણેશને લીલો રંગ ખૂબ જ પ્રિય છે જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા માટે બુધવારે લીલા રંગના કપડાં પહેરવા અને પોતાની સાથે હંમેશા લીલા રંગનો રૂમાલ રાખવો. આશીર્વાદ બુધવારના દિવસે મગનું દાન અથવા તો લીલા વસ્ત્રનું દાન કરવું.
કાર્યમાં સફળતા માટે
જો તમને કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળતા મળતી હોય તો કાર્યમાં આવતી બધાને દૂર કરવા માટે અને સફળ થવા માટે બુધવારના દિવસે ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવી અને તેમને મોદકનો ભોગ ચડાવવો.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)