Homeધાર્મિકજમવાના સમયે ભૂલથી પણ...

જમવાના સમયે ભૂલથી પણ આ ન કરો, મા લક્ષ્મી અને અન્નપૂર્ણા થશે નારાજ

સનાતન ધર્મમાં અનાજને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવામાં ભોજન બનાવવાથી લઈ આરોગવા અને તેના સંબંધિત અન્ય તમામ વસ્તુ માટે કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. આમ તો ખાવાપીવાની બાબતમાં લોકોની અલગ-અલગ આદતો હોય છે. આ આદતો સમય, રીત, ખાવાનું સ્થળ વગેરે સાથે સંબંધિત છે. આમાંની ઘણી બાબતો યોગ્ય છે પરંતુ કેટલીક બાબતો ખોટી પણ છે, જે કરવાથી મા અન્નપૂર્ણાનુ અપમાન થાય છે અમે ઘરમાં દરિદ્રતા અને અન્નની કમીનો સામનો પણ કરવો પડે છે.

થાળીમાં ક્યારેય ન ધોવા જોઈએ હાથ

ઘણા લોકો જમ્યા પછી પોતાના સ્થાને જ બેઠાબેઠા થાળીમાં હાથ ધોઈ લેતા હોય છે. જોકે, આવું કરવું ખોટું છે. શાસ્ત્રોના નિયમો અનુસાર ભોજન કર્યા પછી ક્યારેય પણ વ્યક્તિએ જમવાની થાળીમાં હાથ ન ધોવા જોઈએ. આમ કરવાથી માં અન્નપૂર્ણા અને ધનની દેવી લક્ષ્‍મી નારાજ થાય છે.

આ રીતે પીરસો રોટલી

ભોજન પીરસો ત્યારે તમારે ક્યારેય પણ થાળામાં ત્રણ રોટલી પીરસીને ન આપવી જોઈએ. આમ કરવું અશુભ ગણવામા આવે છે. જો સતત આવું કરવામાં આવે તો તેનાથી દુર્ભાગ્ય આવે છે. તમારે રોટલી પીરસતી વખતે એક થાળીમાં 2 અથવા 4 રોટલી આપવી જોઈએ, ક્યારેય પણ 3 રોટલી પીરસીને થાળી આપવી જોઈએ નહી. એવી માન્યતા છે કે મૃત વ્યક્તિને 3 રોટલી અર્પિત કરવામાં આવે છે.

ન કરશો અન્નનુ અપમાન

વ્યક્તિએ પોતાની થાળીમાં એટલું જ ભોજન લેવું જોઈએ જેટલું તે ખાઈ શકે છે. થાળીમાં અન્ન એઁઠું મૂકવાથી તે વ્યર્થ જાય છે જેના કારણે અન્નનું અપમાન થાય છે. આવી સ્થિતિમાં કંગાળી અને દરિદ્રતાનો સામનો કરવો પડે છે.

આ સિવાય તમે રાત્રીના સમયે રસોડામાં કે પ્લેટફોર્મ પર એંઠા વાસણો ન છોડો, ન તો વાસણો કે રસોડું ગંદું રાખો. યાદ રાખો રાત્રે રસોડાને સારી રીતે સાફ કરવામાં આવે. રસોડામાં પીવાના પાણીના વાસણ પાસે દીવો પ્રગટાવો, તેનાથી માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. હંમેશા સ્નાન કર્યા પછી જ ભોજન બનાવો અને પ્રથમ રોટલી ગાયને અને છેલ્લી રોટલી પણ કૂતરાને આપો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...