Homeધાર્મિકભગવાન શિવને બિલીપત્ર કેવી...

ભગવાન શિવને બિલીપત્ર કેવી રીતે અર્પણ કરવું? શું છે તેને તોડવાનો નિયમ અને મંત્ર

જાણો બિલીપત્ર ચઢાવવાની વિધિ

જ્યારે પણ તમે શિવની પૂજા કરવા જાઓ છો, ત્યારે સૌથી પહેલા બિલીપત્રને ચોખ્ખા પાણીથી સારી રીત સાફ કરી લો. ત્યારબાદ શિવલિંગથી સ્પર્શ કરીને બિલીપત્રની નરમ બાજુ અર્પિત કરો. આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ઉપરાંત બિલીપત્ર ચઢાવવાનો મંત્ર પણ છે.

બિલીપત્ર 3 પાનનું હોવું જોઈએ અને તે આખું હોવું જોઈએ એટલે કે કાપેલા અને ફાટેલા ન હોવા જોઈએ. તેના પર કોઈ ડાઘ ન હોવો જોઈએ કે તે ઝાંખું પણ ન હોવું જોઈએ. શિવને 1, 5, 11, 21 વગેરે જેવી સંખ્યામાં બિલીપત્રો અર્પણ કરવામાં આવે છે. જો તમારી પાસે બિલીપત્ર ન હોય તો શિવલિંગ પર ચઢાવેલા બિલીપત્રને ધોઈને પણ ચઢાવી શકો છો.

શિવલિંગ પર બિલીપત્ર ચઢાવતી સમયે બોલો આ મંત્ર

‘નમો બિલ્લિમને ચ કવચિને ચ નમો વર્મ્મિણે ચ વરૂથિને ચ નમ: શ્રુતાય ચ શ્રુતસેનાય ચ નમો દુન્દુબ્ભ્યાય ચા હનન્નાયાય ચ નમો ઘૃશ્ણવે’

” દર્શનં બિલ્વપત્રસ્ય સ્પર્શનમ્ પાપનાશનમ્।

અઘોર પાપ સંહારં બિલ્વ પત્રં શિવાર્પણમ્॥”

” ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિધાયુધ્મ।

ત્રિજન્મપાપસંહારં બિલ્વપત્રં શિવાપર્ણમ્॥”

“અખંડે બિલ્નપત્રેશ્ચ પૂજયે શિવ શંકરમ્।

કોટિકન્યા મહાદાનં બિલ્વ પત્રં શિવાપર્ણમ્॥”

“ગૃહાણ બિલ્વ પત્રાણિ સપુશ્પાણી મહેશ્વર।

સુગન્ધીની ભવાનીશ શિવત્વંકુસુમ પ્રિય॥”

બિલીપત્રને કઇ રીતે તોડવા જોઇએ

જો તમે શિવલિંગ પર ચઢાવવા માટે બિલીપત્ર તોડી રહ્યા છો, તો સૌથી પહેલા બિલીપત્રના વૃક્ષને નમન કરો. તે પછી ફક્ત બિલીપત્ર તોડો. તિથિના સમાપન અને પ્રારંભની વચ્ચે બિલીપત્ર તોડશો નહીં. ખાસ કરીને અષ્ટમી, નવમી, ત્રયોદશી, ચતુર્દશી, અમાવસ્યા અને સોમવારના દિવસે બિલીપત્ર તોડવું ન જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...