Saturday, September 23, 2023

આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા…

શ્લોક

अनालोच्य व्ययं कर्ता चानाथ: कलहप्रिय:। आर्त: स्त्रीहसर्वक्षेत्रेषु नर: शीघ्रं विनश्यति।। 

આવકથી વધુ ખર્ચ

જે વ્યક્તિ પોતાના જીવનમાં સફળતાની કામના કરે છે તેમણે પોતાની આવક તથા ખર્ચમાં સંતુલન જાળવવું જોઈએ. આવકથી વધુ ખર્ચ કરે, સમજ્યા વગર ખર્ચ કરે તે ભવિષ્યમાં જરૂર બરબાદીની કગાર પર પહોંચે છે. 

વાત વાત પર ઝગડો

જે મનુષ્ય દરેક વાત પર બીજા સાથે ઝગડા કરે તે લોકો બરબાદીની રાહ પર હોય છે. તેમને કોઈ પસંદ કરતું નથી અને જીવનમાં તેઓ એકલા પડી જાય છે. 

સ્ત્રીઓ પાછળ ભાગવું

જે પુરુષો અન્ય સ્ત્રીઓ પાછળ ભાગીને પોતાના ઘર બરબાદ કરે છે, તે માત્ર જીવનનો વ્યય નથી કરતા પરંતુ પરિવાર માટે પણ ઘાતક સાબિત થાય છે. આવા મનુષ્યોને શત્રુની કોઈ જરૂર નથી કારણ કે તેઓ પોતે જ પોતાના શત્રુ છે.  

ધૈર્ય ન રાખવું

જે પુરુષો પોતાના ચરિત્ર અને આચરણમાં ધૈર્યને મહત્વ નથી આપતા તેમને સફળતા ક્યારેય મળતી નથી. 

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest