- ઈમ્યુનિટી વધારવામાં મદદ કરશે આ ચા
- એનિમિયાની ખામીને દૂર કરવામાં કરશે મદદ
- માઈગ્રેન અને પાચન તંત્રને દુરસ્ત રાખવામાં લાભદાયી
શિયાળાની ઋતુમાં ગરમાગરમ ચા પીવાનો પોતાનો જ આનંદ છે. મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં પોતાના શરીરને ગરમ રાખવા માટે ચા પીવે છે. દૂધ અને પાણીની સાથે-સાથે જો ચામાં મસાલાનું પ્રમાણ યોગ્ય હોય અને તેને યોગ્ય રીતે ઉકાળવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
કેટલાક લોકો ચામાં ખાંડ અથવા સ્ટીવિયા ઉમેરે છે. પરંતુ શિયાળામાં ખાંડને બદલે ગોળવાળી ચા પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. બદલાતી સીઝનમાં લોકો શરદી, ખાંસી અને ફ્લૂ જેવી બીમારીનો શિકાર બની રહ્યા છે. તેનાથી બચવા માટે તમે ડોક્ટરના આંટા ન મારશો અને જાતે ઈમ્યુનિટી પણ વધારો. આ માટે તમારે રૂટિન ચામાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. તમે ગોળની ચા ટ્રાય કરો. ગોળમાં પ્રોટીન, વિટામિન બી12, કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી જેવા તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિયાળામાં આ ચા અનેકર રીતે ફાયદો કરે છે. તો જાણો આ ચાના ફાયદા શું છે અને તે કેવી રીતે બને છે.
આ રીતે બનાવો ગોળની ચા
ગોળની ચા બનાવવા માટે એક પેનમાં દોઢ કપ પાણીને ઉકાળો. તે ઉકળે તો તેમાં આદુ, એલચી, તજ અને ચાની ભૂકી ઉમેરો. હવે પાણીમાં દૂધ ઉમેરો અને તેને ઉકાળો. બધું સારી રીતે ઉકળી જાય તો તેને ગેસ પરથી ઉતારી લો. તેમાં ટેસ્ટ અનુસાર ગોળ મિક્સ કરો અને ગાળી લો. ધ્યાન રાખો ગોળ નાંખીને ચાને ઉકાળશો નહીં. તે ફાટી જશે.
એનિમિયા
એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ખામી હોય તો ગોળની ચાનું સેવન ફાયદો આપે છે. ગોળની ચા આયર્નથી ભરપૂર હોય છે. તે લાલ રક્ત કોશિકાના નિર્માણમાં મદદ કરે છે. તેનાથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને લોહીની ખામી દૂર થાય છે.
વેટ લોસ
વેટ લોસ માટે ગોળની ચાનું સેવન કરો. તેને પીવાથી વજન ઘણે અંશે ઝડપથી ઉતરવા લાગે છે.
પાચન તંત્ર
ગોળની ચા પાચનને સારું રાખવામાં ફાયદો કરે છે. ગોળની ચાનું નિયમિત સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને કબજિયાત, એસિડિટી અને અપચા જેવી સમસ્યાથી રાહત મળે છે.
માઈગ્રેનથી મળશે રાહત
માઈગ્રેનના દર્દીઓએ ગોળની ચાનું સેવન કરવું. તેમાં અનેક એવા પોષક તત્વો છે જે માઈગ્રેનને દૂર કરવામાં મદદ કરે છે.
ઈમ્યુનિટી થશે બૂસ્ટ
ગોળમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ્સના ગુણ ઈમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે.