દર વર્ષે માગસર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિએ કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો વિધિ-વિધાન સાથે ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપથી પૂજા આરાધના કરે છે. આવું કરવાથી ભયમાંથી મુક્તિ મળે છે. જીવનના કષ્ટ દૂર થાય છે. આ વર્ષે કાલ ભૈરવ જયંતિ 5 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. 4 ડિસેમ્બરની રાતે 9.59 વાગ્યા અષ્ટમી તિથિ આરંભ થશે. એનું સમાપન 6 ડિસેમ્બર 12.37 વાગ્યે થશે.
આ દિવસે કેટલાક ઉપાયો કરવું ખુબ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો અંગે.
ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરો
ભોલેનાથને બેલપત્ર ખૂબ જ પ્રિય છે. આ દિવસે ભગવાન શિવને બેલપત્ર અવશ્ય ચઢાવો. આમ કરવાથી કાલભૈરવ પ્રસન્ન થાય છે. જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
બ્લુ ફૂલ ચઢાવો
કાલ ભૈરવ જયંતિના દિવસે બાલ કાલ ભૈરવને 1.25 ગ્રામ અડદ અર્પિત કરો. અડદના 11 દાણા બાળી, કાળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આમ કરવાથી આર્થિક લાભ થવાની સંભાવના છે. ધંધો વિસ્તરે છે.
ડરથી છુટકારો મેળવવાના ઉપાય
આ દિવસે બાબા કાલ ભૈરવના ચરણોમાં કાળો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે. દોરો બાંધતી વખતે “ઓમ હ્રીં બટુકાય આપદુદ્ધારનાય કુરુ કુરુ બટુકાય હ્રીં ઓમ” મંત્રનો 11 વાર જાપ કરો. આમ કરવાથી ભૂત-પ્રેતના ભયથી મુક્તિ મળે છે.
દુઃખમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો
કૂતરાને બાબા કાલ ભૈરવનું વાહન માનવામાં આવે છે. આ દિવસે મીઠી રોટલી તૈયાર કરો અને કૂતરાને ખવડાવો. આમ કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. પ્રગતિની શક્યતાઓ છે. દુઃખ દૂર થાય છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)