Homeધાર્મિકશું તમે તમારા ઘરના...

શું તમે તમારા ઘરના મંદિરની નિયમિત સફાઈ કરો છો કે નહીં? મંદિરના સંદર્ભમાં આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે!

દરેક ઘરનો સૌથી પવિત્ર ખૂણો કે સ્થાન જો કોઈ હોય તો તે ઘરનું પૂજાઘર હોય છે ! એ ઘરનું પૂજાસ્થાન કે મંદિર જ તો છે કે વ્યક્તિને નવી ચેતના પ્રદાન કરે છે. અનેક પ્રશ્નોથી ઘેરાયેલા લોકો જ્યારે ઘરના પૂજાઘર સન્મુખ બેસીને તેમના આરાધ્યને નતમસ્તક થાય છે, ત્યારે તેમનામાં નવી ઊર્જાનો અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે.

પણ, તેનાથી વિપરીત જ્યારે તમે આ જ પૂજાઘર સંબંધી કેટલીક બાબતોની અવગણના કરો છો, ત્યારે તમારે અનેકવિધ મુસીબતોનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે, આવો આજે એ જ જાણીએ કે ઘરના પૂજાઘર સંદર્ભે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે અત્યંત જરૂરી ?

શું રાખશો ધ્યાન ?

⦁ તમે ગમે તેટલા વ્યસ્ત હોવ, પણ નિત્ય જ ઘરના મંદિરમાં સાફ-સફાઈ કરવી જોઈએ અને ત્યારબાદ જ પ્રભુની પૂજા કરવી જોઈએ. જેમ નિત્ય ઘરની સફાઈ જરૂરી છે, તે જ રીતે નિત્ય ઘરના મંદિરની સફાઈ પણ એટલી જ જરૂરી છે. જો તેમ કરવામાં ન આવે તો દેવતાઓ નારાજ થઈ શકે છે !

⦁ પર્વજો પણ દેવતા સમાન છે અને એટલે જ આપણે તેમને પિતૃદેવ કહીએ છીએ. પણ, યાદ રાખો કે, ઘરના પૂજાઘરમાં પૂર્વજોની તસવીર ક્યારેય પણ ન રાખવી જોઈએ. નહીંતર તમે દોષના ભાગીદાર બની જશો.

⦁ ઘરના પૂજાઘરમાં ક્યારેય શનિદેવની તસવીર કે મૂર્તિ પણ ન જ રાખવી જોઈએ. તેને શુભ માનવામાં નથી આવતું.

⦁ પૂજા સ્થાનમાં અગરબત્તી ન પ્રગટાવો. તેના બદલે ધૂપ પ્રજ્વલિત કરો. તે વધુ ફળદાયી બની રહેશે.

⦁ ઘરના પૂજાસ્થાનનો દરવાજો ક્યારેય પણ બંધ ન રાખવો જોઈએ.

⦁ હંમેશા એ વાત ધ્યાનમાં રાખો કે પૂજાઘરની પાસે ક્યારેય સ્ટોર રૂમ કે રસોડું ન જ હોવું જોઈએ. જો આવું કંઈ હોય તો તમારે વાસ્તુદોષનો સામનો કરવો પડી શખે છે.

⦁ ઘરનું મંદિર હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં જ હોવું જોઇએ. મંદિરનું પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોવું અશુભ ફળ પ્રદાન કરે છે.

⦁ ઘરના મંદિરની આસપાસ ક્યારેય પણ શૌચાલય ન જ હોવું જોઈએ. નહીંતર, પરિવારને અનેક મુસીબતો સહન કરવાનો વારો આવે છે.

⦁ જ્યાં ઘર ખૂબ જ નાના હોય છે, ત્યાં ઘણાં લોકો રસોડામાં જ મંદિર બનાવી દેતા હોય છે. પણ, આવું કરવું બિલ્કુલ પણ યોગ્ય નથી. તેનાથી તમારે મુસીબતોનો સામનો કરવો પડી શકે છે !

⦁ યાદ રાખો, કે ઘરમાં માત્ર એક જ મંદિર હોવું જોઈએ. વધારે મંદિર ન સ્થાપવા જોઈએ. નહીંતર તેના લીધે માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

⦁ મંદિરની તરફ પગ રાખીને ક્યારેય ન સૂવું જોઇએ. તે અશુભદાયી મનાય છે. એટલું જ નહીં, પૂજાનું શુભફળ પણ આપને પ્રાપ્ત નથી થતું.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...