યુવા ઓપનર પૃથ્વી શૉએ લાંબા વિરામ બાદ ઝંઝાવાતી સદી ફટકારીને ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. તેણે રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતી વખતે શાનદાર સદી ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ બાદ પૃથ્વીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, અત્યારે હું ભારતીય ટીમમાં પુનરાગમન કરવા પર ધ્યાન નથી આપી રહ્યો.
યુવા બેટ્સમેન પૃથ્વી શો લાંબા સમયથી ઈજાગ્રસ્ત હતો. તેથી, દરેકને અપેક્ષા હતી કે તે આખી રણજી ટ્રોફી સિઝનમાંથી બહાર રહેશે. પરંતુ તેને રમવાની તક મળી અને તેણે સદી ફટકારી. પૃથ્વી શૉએ 185 બોલમાં 159 રન ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી.
તેણે ઉમેર્યું હતું કે હું બહુ આગળ વિચારતો નથી અને વર્તમાનમાં જીવવા માંગુ છું. મારી પાસે કોઈ અપેક્ષા નથી. હું ખુશ છું કે હું ફરીથી ક્રિકેટ રમી શકીશ. તેણે કહ્યું કે મારું લક્ષ્ય મુંબઈ માટે રણજી ટ્રોફી જીતવાનું છે.