Homeધાર્મિકઆ છે મહાદેવનું અનોખું...

આ છે મહાદેવનું અનોખું મંદિર, જ્યાં શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે, વૈજ્ઞાનિકો પણ તેનું કારણ શોધી શક્યા નથી.

વિશ્વમાં ઘણા અજીબોગરીબ નજારા છે જેની પાછળનું રહસ્ય હજી સુધી ઉલજાયેલું છે. ભગવાન ભોળાનાથનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ભોળાનાથને દેવોના દેવ પણ કહેવામાં આવે છે. ભગવાન ભોળાનાથના ચમત્કારોને ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં કરવામાં આવ્યો છે. દેશમાં ભગવાન શિવના હજારો મંદિરો છે જે ચમત્કારઓથી ભરેલા છે. જેના રહસ્યો આજદિન સુધી ઉકેલાયા નથી.

આજે અમે આપને આ લેખમાં એક એવા જ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંનું શિવલિંગ દિવસમાં ત્રણ વખત પોતાનો રંગ બદલે છે. ચાલો જાણીએ આ મંદિર ક્યાં આવેલું છે તેના વિશે.

રાજસ્થાનમાં આવેલું છે મંદિર
ભગવાન ભોળાનાથનું આ ચમત્કારી મંદિર રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરનું નામ ‘અચલેશ્વર મહાદેવ’ છે. ધોલપુર જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદ ઉપર આવેલો છે.આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે, કે અહિયાં આવેલું શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે. સવારના સમયે શિવલિંગનો રંગ લાલ હોય છે, બપોરે કેસરિયો અને રાત્રે આ ચમત્કારિક શિવલિંગ શ્યામ રંગનું થઇ જાય છે.

શિવલિંગનો કોઈ છેડો જ નથી
આ શિવલિંગ વિશે એક વાત બીજી પણ પ્રસિદ્ધ છે કે આ શિવલિંગનો છેડો આજ સુધી કોઈ શોધી નથી શક્યું. આસપાસના લોકો જણાવે છે કે ઘણા વર્ષો પહેલા આ શિવલિંગનો રંગ બદલવાની ઘટના જાણવા માટે ખોદકામ થયું હતું. ત્યારે ખબર પડી કે આ શિવલિંગનો કોઈ છેડો પણ નથી.

આજદિન સુધી જાણી શકાયું નથી રહસ્ય
અચલેશ્વર મહાદેવના રંગ બદલવા પાછળનું કારણ શું છે, તે જાણવા માટે પુરાતત્વ વિભાગ પણ અહીંયા કામ કરી ચૂક્યું છે, પરંતુ બધા આ ઈશ્વરીય શક્તિ સામે હાર માની ચૂક્યા છે.

હજારો વર્ષ જૂનું છે આ મંદિર
મંદિરના મહિમાનું વર્ણન કરતા પુજારી જણાવે છે કે, આ મંદિરનું મહત્વ તો હજારો વર્ષોથી એવું ને એવું જ છે, છતાં પણ મોટી સંખ્યામાં ભક્તો એટલા માટે નથી આવી શકતા કારણ કે અહીંયા આવવાનો રસ્તો આજે પણ કાચો અને ખાડા-ખૈયા વાળો છે. આજે પણ તે એક રહસ્ય છે કે આ શિવલિંગનો ઉદ્દભવ કેવી રીતે થયો અને કેવી રીતે પોતાનો રંગ બદલે છે. ભગવાન અચલેશ્વર મહાદેવનું આ મંદિર હજારો વર્ષ જૂનું ગણવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...