Homeધાર્મિકઆજે ભૂલ્યા વિના કરો...

આજે ભૂલ્યા વિના કરો આ સ્તોત્રનો પાઠ, શ્રીરામ અપાવશે તમામ સમસ્યાઓમાંથી મુક્તિ!

“રામ” નામ જાપનો મહિમા

રામનવમીના દિવસે ભગવાન શ્રીરામનું પૂજન કરતા સમયે રામ નામનો જાપ જરૂરથી કરવો જોઈએ. કહે છે કે તેનાથી જીવનમાં સુખ અને ખુશહાલીનું આગમન થાય છે.

હનુમાન ચાલીસાનો પાઠ

કહે છે કે હનુમાનજીના હૃદયમાં શ્રીરામ છે, તો રામચંદ્રજીના હૃદયમાં હનુમાનજી છે. એટલે આજે રામનવમીના દિવસે હનુમાનજીના ગુણગાન કરવા જોઈએ અને હનુમાન ચાલીસાનો સંપૂર્ણ પાઠ કરવો જોઈએ. માન્યતા અુસાર તેનાથી જાતક પર શ્રીરામ અને હનુમાનજી બંન્નેવની કૃપા સદૈવ વરસતી જ રહે છે.

રામ રક્ષા સ્તોત્રના પઠનથી સંકટ મુક્તિ

રામનવમીના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ જરૂરથી કરવો જોઇએ. તેના પઠનથી જીવનના દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે. તેમજ આપની અને આપના પરિવારની શ્રીરામચંદ્રજી રક્ષા કરે છે.

રામચરિતમાનસનો પાઠ કરો

રામનવમીના દિવસે રામાયણનો અથવા તો રામચરિતમાનસનો પાઠ કરવો જોઈએ. તમે તેનું પઠન ન કરી શકો તો તેનું શ્રવણ કરવું જોઈએ. કહે છે કે આ પઠનથી વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આપના જીવનના તમામ દુઃખનો નાશ થાય છે.

સુંદરકાંડનું પઠન કરો

રામનવમીના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અથવા તો કરાવવો જોઈએ. માન્યતા અનુસાર સુંદરકાંડનો પાઠ વ્યક્તિના જીવનને પણ સુંદર બનાવી દે છે. તેનાથી જીવનમાં મંગળ જ મંગળ થાય છે. સુંદરકાંડ એ શ્રીરામના હૃદયની સૌથી વધુ નજીક મનાય છે. કારણ કે, તેના દ્વારા જ તેમને સીતાજીના લંકામાં હોવાની જાણકારી મળી હતી.

આર્થિક સંકટને હરશે રામાષ્ટક !

જો આપ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હોવ, તો આપે આજે વિધિપૂર્વક રામાષ્ટકનો પાઠ કરવો જોઈએ. રામાષ્ટકને રામાષ્ટકમ્ પણ કહે છે. આ પાઠ કરવાથી અચાનક જ ધનપ્રાપ્તિના યોગ સર્જાતા હોવાની માન્યતા પ્રચલિત છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...